NEETનું પરિણામ 16 ઓક્ટોબરે જાહેર થશે સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
Live TV
-
સુપ્રીમ કોર્ટે 16 ઓક્ટોબરના રોજ NEET પરીક્ષાનું પરિણામ જાહેર કરવા આદેશ આપ્યો છે. અદાલતે કોવિડ -19 કન્ટેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓ કે જે પરીક્ષા આપી ના શક્યા હતા તેમના માટે આવતીકાલે NEET પરીક્ષા યોજવાની મંજૂરી આપવામાં આવી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જે વિદ્યાર્થીઓ કોરોનાના કારણે પરીક્ષા નતા આપી શક્યા તેમના માટે પરીક્ષા યોજવામાં આવશે. આવતીકાલે પરીક્ષા લેવામાં આવશે તેવું જાહેર થયું છે. NEET એક ઉચ્ચતમ સ્પર્ધાત્મક પરીક્ષા છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવાની તક આપે છે.
