NSGનો 35મો સ્થાપના દિવસ, સૈનિકોના પરિવારને અમિત શાહનું સંબોધન
Live TV
-
એનએસજીના કમાન્ડોએ પોતાની ટેક્નિક અને અદભૂત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.
આજે એનએસજીનો 35મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. આ તકે માનેસરમાં અમિત શાહ પણ હાજરી આપી. આ પહેલા એનએસજીના જવાનોએ મોકડ્રિલ યોજી હતી. જેમાં એનએસજીના કમાન્ડોએ પોતાની ટેક્નિક અને અદભૂત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.
શૌર્ય સ્થળ પર NSGના અલગ અલગ ઓપરેશન દરમિયાન શહીદી વહોરનાર 34 જવાનો અને અધિકારીઓના નામ લખેલા છે તે નિહાળ્યા હતાં. આ પછી એનએસજી કેમ્પસમાં સ્થિત ઉન્ની કૃષ્ણન સ્ટેડિયમાં ગૃહમંત્રી એનએસજી જવાનનું ટ્રેનિંગ કૌશલ્ય નિહાળ્યું હતું. આ પછી અમિત શાહ સૈનિકો અને તેમના પરિવારોને સંબોધન કર્યું હતું.
નોંધનીય છે કે 1984માં એનએસજીની સ્થાપના થઈ હતી. મુંબઈમાં 26-11ના હુમલામાં આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં ઓપરેશન્સમાં એનએસજી દળે મહત્વની ભૂમિકા ભજવી હતી.
