PM નરેન્દ્ર મોદી આજે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી સાથે કરશે દ્વીપક્ષીય ચર્ચા
Live TV
-
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના છે ભારતના પ્રવાસે
પ્રધાનમંત્રી PM નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના આજે નવી દિલ્લીમાં સંયુક્ત રૂપથી ત્રણ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે,,સાથે જ બંને નેતા દ્વિપક્ષીય વાર્તા પણ કરશે..બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસિના ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આવ્યા છે. નરેન્દ્ર મોદીની એનડીએ સરકારના બીજા કાર્યકાળમાં શેખ હસિનાની આ પહેલી ભારત યાત્રા છે. હસિના વિશ્વ આર્થિક મંચ દ્વારા આયોજીત ભારત આર્થિક શિખર સંમેલનમાં મુખ્ય અતિથી તરીકે ભાગ લઈ રહ્યાં છે. આ યાત્રા દરમિયાન બંને નેતા વીડિયો લીન્કના માધ્યમથી ત્રણ દ્વિપક્ષીય યોજનાઓનું પણ ઉદ્ધાટન કરશે.
