PM નરેન્દ્ર મોદી આજે NASSCOM ટેક્નોલોજી એન્ડ લીડરશીપ ફોરમને સંબોધીત કરી
Live TV
-
NASSCOM ટેક્નોલોજી અને લીડરશીપ ફોરમ ટેક્નોલોજી અને કોમ્યુનિકેશનની દુનિયાનાં પ્રમુખોને એકસાથે લાવવા માટે મહત્વનુ કામ કરે છે. ફોરમની થીમ સુદઢ ભવિષ્યને આકાર આપવાનો છે. આજે બપોરે 12.30 વાગ્યે પ્રધાનમંત્રી મોદીએ ફોરમને સંબોધીત કરી
NASSCOM ટેક્નોલોજી અને લીડરશીપ ફોરમ ટેક્નોલોજી અને કોમ્યુનિકેશનની દુનિયાનાં પ્રમુખોને એકસાથે લાવવા માટે મહત્વનુ કામ કરે છે. ફોરમની થીમ સુદઢ ભવિષ્યને આકાર આપવાનો છે. બપોરે 12.30 વાગ્યે પ્રધાનમંત્રી મોદી આ ફોરમને સંબોધીત કર્યું
ફોરમ 2021માં નેશકોમ ટેકનોલોજી એન્ડ લીડરશીપ ફોરમનુ 29મુ વર્ષ છે. NASSCOMનુ આ એવુ મંચ છે જે 190 બીલીયન ડોલરનાં ઉદ્યોગને ગતી આપે છે. આ કાર્યક્રમનુ આયોજન 17થી 19 ફેબ્રુઆરી સુધી કરવામાં આવી રહ્યુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NASSCOM ટેક્નોલોજી એન્ડ લીડરશીપ ફોરમમાં વિડિઓ કોન્ફરન્સીંગનાં માધ્યમથી સંબોધન કર્યુ..પીએમએ પોતાનાં સંબોધનમાં કહ્યુ હતુ કે, વિશ્વ ભારત તરફ વધુ આશાઓથી જોઈ રહ્યુ છે. કોરોનાં કાળમાં પણ આઈટી સેક્ટરે 2 ટકાનું ગ્રોથ મેળવ્યુ છે..તેમજ લાખો નવા રોજગાર આપીને આઈટી વિભાગે સાબિત કર્યુ કે તે ભારત માટે મહત્વનુ સેક્ટર કેમ છે..વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે આઈ.ટી ઈન્ડસ્ટ્રી ભારતનાં અર્થતંત્રનુ મહત્વનું સ્તંભ છે.. મેપ અને જીઓ સ્પેશિયલ ડેટાને કંટ્રોલથી મુક્ત કરી આઈ.ટી ઈન્ડસ્ટ્રી માટે ખોલી દેવુ તે મહત્વનું પગલુ છે.. આ ઉપરાંત તેમણે કહ્યુ કે ભારત આત્મનિર્ભરતાની લીડરશીપ માટે પણ મજબૂત રીતે આગળ વધ્યુ છે અને મેડ ઈન ઈન્ડિયા વેક્સીન આજે સમગ્ર વિશ્વને મળી રહી છે.
