PM મોદી આજે તમીલનાડુમાં ગેસોલીન ડીસલ્ફરાઈજેશન યુનિટ રાષ્ટ્રને સમર્પીત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમીલનાડુમાં ઓઈલ અને ગેસ ક્ષેત્રની પ્રમુખ પરિયોજનાઓ રાષ્ટ્રને વિડિઓ કોન્ફરન્સીંગનાં માધ્યમથી સમર્પીત કરી. સાથે કાવેરી બેસીન રિફાઈનરીનો પાયો પણ મુક્યો
પ્રધાનમંત્રી દ્વારા આજે બપોરે 4.30 વાગ્યે ચેન્નઈ પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ, મનાલીમાં રામનાથપુરમ થુથુકુડી પ્રાકૃતિક ગેસ પાઈપલાઈન અને ગેસોલીન ડીસલ્ફરાઈજેશન યુનિટ રાષ્ટ્રને સમર્પીત કરી. રામનાથપુરમ થુથુકુડી ખંડ 143 કિલોમીટરનું હશે અને આ લગભગ રુપિયા 700 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. જે ONGC ગેસ ક્ષેત્રથી ગેસનો ઉપયોગ કરવા અને ઉદ્યોગો અને અન્ય ગ્રાહકોને પ્રાકૃતિક ગેસ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે.
આ સાથે નાગપટ્ટિનમમાં કાવેરી બેસીન રિફાઈનરીનો પણ પાયો મુકશે. કાવેરી બેસીન રિફાઈનસીની ક્ષમતા 90 લાખ મેટ્રીક ટન પ્રતિ વર્ષની રહેશે. આ પરિયોજના IOCL અને CPCLની સંયુક્ત ભાગીદારીથી બનશે જેનો અંદાજીત ખર્ચ 31,500 કરોડ થશે. આ રિફાઈનરીમાં BS-IV વાહનોમાં વપરાતા ડિઝલનુ ઉત્પાદન થશે તેની સાથે પોલીપ્રોપાઈલીનનુ ઉત્પાદન પણ બાય પ્રોડક્ટના સ્વરુપે થશે.
