PM મોદીઃ નીતિ આયોગ બેઠક સંબોધનમાં માળખાગત સુવિધા, નવી શોધ, ટેકનોલોજીનો ઉપયોગ કરવા રાજ્યોને અનુરોધ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી નીતિ આયોગની બેઠકને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આપણે જે કોઓપરેટીવ ફેડરલીઝમની વાત કરીએ છીએ તેને જિલ્લા સુધી લઇ જવાની જરૂર છે જેથી વિકાસને આગળ લઇ જવાય. આઝાદીને 75 વર્ષ પૂરા થવા જઇ રહ્યાં છે. તો તેની તૈયારીઓ માટે તેમણે રાજ્યોને અપીલ કરી હતી. દેશમાં ગરીબોને ઘરો અપાવવા જે કામગીરી ચાલી રહી છે તે આવાસ યોજના, પીવાના પાણીની યોજના, ઇન્ટરનેટ કનેકટીવીટી માટે ભારત નેટ સ્કીમ, માળખાગત સુવિધા, નવી શોધ, ટેકનોલોજીનો ઉપયોગ રાજ્યોએ કરવો જોઇએ તેમ પ્રધાનમંત્રીએ ભાર પૂર્વક કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે રાજ્યોમાં ઉત્પાદિત થતી પ્રોડક્ટના નિકાસ માટે રાજ્યો વચ્ચે પ્રતિસ્પર્ધા વધુ ઝડપી બનવી જોઇએ. પ્રધાનમંત્રીએ આ બેઠકમાં તાજેતરમાં લોન્ચ થયેલી PLI સ્કીમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાજ્યોને આ સ્કીમનો ફાયદો પોતાના રાજ્ય માટે ઉઠાવવા માટે કહ્યું હતું.
