PM મોદીની IITના વિદ્યાર્થીઓને ગ્રામીણ ક્ષેત્રે ભાગીદાર થવા અપીલ
Live TV
-
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે, ભારત તેના યુવાનોને વેપાર કરવામાં સરળતા આપવા માટે પ્રતિબદ્ધ છે જેથી આ યુવાનો તેમની નવીનતા સાથે કરોડો નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવી શકે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આઇઆઇટી સંસ્થાના 51માં દીક્ષાંત સમારોહમાં વિડિયો ફોન્ફરન્સ દ્વારા ભાગ લીધો હતો.
આ સમારોહમાં પાસ થયેલા બીટેક અને પીએચડીના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ, કે પોસ્ટ કોવિડ વર્લ્ડના સમયમાં સૌથી વધુ ટેકનિકલની ભૂમિકા મહત્વની રહેશે છે, ત્યારે આવનારા દિવસોમાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓ નવા સંશોધનો કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
ઉપરાંત તેમણે ગરીબ અને ગ્રામિણક્ષેત્રના વિકાસમાં નવી ઉચાઇ સુધી પહોચાડવામાં ભાગીદાર બને તેવી આશા વિદ્યાર્થીઓ પાસે અપેક્ષા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ કોવિડ-19ના સમય દરમ્યાન વિશ્વમાં વૈશ્વિકરણ અને આત્મનિર્ભર બનવા પર ભાર અપાયો હતો. તો આવનારા દિવસોમાં ટેક્નોલોજી ક્ષેત્રે નવા સંશોધનો થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
