RBIનાં ગવર્નર શક્તિકાંત દાસે બેન્કો અને નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ વચ્ચે જોડાણ વધારવા પર ભાર મૂક્યો
Live TV
-
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે બેન્કો અને નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ વચ્ચે જોડાણ વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે બેન્કોને NBFC સાથેના તેમના સંબંધોનું સતત મૂલ્યાંકન કરવા જણાવ્યું હતું.
FICCI અને ભારતીય બેંકોના સંઘ આઈ.બી.એ દ્વારા આજે મુંબઈમાં FIBAC-2023 દ્વારા સંયુક્ત રીતે આયોજિત FIBAC-2023 વાર્ષિક પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે, NBFCsએ ભંડોળના સ્ત્રોતોને વિસ્તૃત કરવા અને બેંકો પર નિર્ભરતા ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે વધતી જતી ધિરાણને ધ્યાનમાં રાખીને બેંકોએ ખાતરી કરવી જોઈએ કે તે ટકાઉ રહે.
