રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશ બસ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો, દરેકને 2 લાખની સહાયની કરી જાહેરાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, "આંધ્રપ્રદેશના કુર્નૂલમાં થયેલી દુ:ખદ બસ આગની ઘટનામાં જાનમાલનું નુકસાન અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું."
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને પણ 'X' પર શોક વ્યક્ત કર્યો, એક પોસ્ટમાં લખ્યું, "આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલી દુ:ખદ બસ આગ અકસ્માતથી ખૂબ દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું."