Live TV
'સેવા હી સંગઠન' ઇ-બુકનું લોકાર્પણ
આજે પ્રદેશ ભાજપા કાર્યાલય 'શ્રી કમલમ', ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે કોરોના મહામારીકાળ દરમિયાન ગુજરાત ભાજપાના કાર્યકર્તાઓએ 'સેવા હી સંગઠન' અંતર્ગત કરેલ વિવિધ સેવકાર્યોની સંકલિત માહિતીની પ્રદેશ ભાજપાની 'ઇ-બુક'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જળ સંચય અભિયાનનાં કામોની સમીક્ષા કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે પોતાના નિવાસ સ્થાનેથી રાજ્યના છ જિલ્લામાં ચાલી રહેલાં જળ અભિયાન કામોની સમીક્ષા કરી હતી. તેમણે સુજલામ સુફલામ જળ અભિયાન આગામી ત્રણ વર્ષ સુધી ચાલુ રાખી રાજ્યનાં તમામ તળાવો ઊંડાં કરી આવનારી પેઢીને પચાસ વર્ષ સુધી જળ સમૃદ્ધિનો વારસો આપવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જિલ્લામાં ચાલી રહેલા જળ અભિયાન કામોની સમીક્ષા કરતાં ગ્રામજનો તથા ખેડૂતો પાસેથી આ અભિયાનની સફળતા અને ઉપયોગિતા અંગે પ્રતિસાદ આપવા પણ હાકલ કરી હતી. જળસંચય અભિયાન અંતર્ગત પ્રથમ વખત મુખ્યમંત્રીએ ટૅક્નૉલૉજી માધ્યમથી આગેવાનો સાથે સંવાદ યોજ્યો હતો.
ડાંગના 50 જેટલા ખેડૂતોને મળી સ્ટ્રોબેરીની ખેતીમાં સફળતા
Submitted by gujaratdesk on
ડાંગમાં બાગાયતી ખેડીનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ત્યારે અહીંના ખેડૂતોએ સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી છે.
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કા માટે દિગ્ગજોનો ઝંઝાવાતી પ્રચાર, પક્ષોના પ્રહાર
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.. ભાજપના વરિષ્ઠ નેતાઓએ રાજ્યભરમાં ધુઆંધાર પ્રચાર કર્યો હતો.. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ બર્દવાનના જમાલપુર ખાતે વિશાળ જનસભા સંબોધી હતી.. ત્યારબાદ, તેઓએ હાવડા અને દક્ષિણ કોલકાતામાં ભવ્ય રોડ શો યોજ્યો હતો.. તો, કેન્દ્રિય રક્ષામંત્રી રાજનાથ સિંહે હુગલીમાં જાહેર સભાને સંબોધી હતી.. જ્યારે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બર્ધમાન અને ઉત્તર 24 પરગણામાં ચૂંટણી રેલીઓ યોજી હતી..
નીતિ આયોગ દેશની નીતિ-નિર્માણ પ્રણાલીના મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવ્યું: PM મોદી
પીએમ મોદીએ નીતિ આયોગના નવનિયુક્ત ઉપાધ્યક્ષ ડૉ. અશોક કુમાર લાહિરીને વાઇસ ચેરમેન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સંસ્થા વિવિધ ક્ષેત્રોમાં નવીનતા અને લાંબા ગાળાની વ્યૂહરચના બનાવવા માટે ગતિશીલ પ્લેટફોર્મ તરીકે કામ કરી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરતા તેમણે લખ્યું કે, "સરકારે નીતિ આયોગનું પુનર્ગઠન કર્યું છે. અશોકકુમાર લાહિરીને વાઇસ ચેરમેન બનવા બદલ મારી શુભેચ્છાઓ. ઉપરાંત, રાજીવ ગૌબા, પ્રો. કે.વી.રાજુ, પ્રો. ગોબર્ધનદાસ, પ્રો. અભય કરંદીકર અને ડૉ. એમ. શ્રીનિવાસને પૂર્ણ-સમયના સભ્યો બનવા બદલ અભિનંદન."
IPL 2026: પંજાબ કિંગ્સની શાનદાર જીત, 6 વિકેટે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું
પંજાબ કિંગ્સે ઈતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો છે. દિલ્હી કેપિટલ્સ સામે સાત બોલ બાકી રાખીને 265 રન બનાવ્યા છે અને દિલ્હીને 6 વિકેટથી હરાવ્યું છે. 'સરપંચ' શ્રેયસે વિસ્ફોટ 71 રનની શાનદાર ઇનિંગ રમીને ટીમને જીત આપવી છે..
કેન્દ્રીય નાણામંત્રી સીતારમણનો SEBIને સમગ્ર નાણાકીય વ્યવસ્થામાં KYCને સરળ બનાવવાનો આગ્રહ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે KYC પ્રક્રિયામાં મોટા ફેરફારો કરવાની હાકલ કરી હતી. તેમણે SEBIને સમગ્ર નાણાકીય વ્યવસ્થામાં KYCને સરળ બનાવવા અને એકસમાન બનાવવા માટે પગલાં લેવા આગ્રહ કર્યો હતો. SEBIના 38મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં નાણામંત્રીએ કહ્યું કે, એક એવી KYC સિસ્ટમ હોવી જોઈએ જે સરળ, સુરક્ષિત અને તમામ પ્લેટફોર્મ પર કાર્ય કરે. વર્તમાન સિસ્ટમ લોકો માટે સમસ્યાઓ ઊભી કરે છે કારણ કે તેમને વિવિધ સ્થળોએ વારંવાર એક જ દસ્તાવેજો અને માહિતી પૂરી પાડવા પડે છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શું કહ્યું ?
ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી બની શાંતિમંત્રણાની સંભાવના, સીધી મંત્રણાનો ઇનકાર
ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ ફરીથી મંત્રણા માટે તૈયાર જોવા મળી રહ્યા છે, જોકે આ વખતે તેઓ સીધી મંત્રણા નહીં પરંતુ એકબીજાથી દૂર રહીને અને બીજા સ્તરના પ્રતિનિધિઓ થકી મંત્રણા કરી શકે છે. ઈરાની પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પહોંચ્યું છે, જ્યારે USની ટીમ શનિવારે ત્યાં પહોંચવાની અપેક્ષા છે.
ચૂંટણીઓ માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ, કલેકટરની વિવિધ સેન્ટરોની મુલાકાત
અમદાવાદ જિલ્લામાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી સુજીત કુમારે વિવિધ રિસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરોની રૂબરૂ મુલાકાત લઈને કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે EVM સ્ટોરેજ, સ્ટાફની ફાળવણી અને કેન્દ્રો પરની પાયાની સુવિધાઓનું નિરીક્ષણ કરી મતદાન પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
28 રિસીવિંગ અને ડિસ્પેચિંગ કેન્દ્રો કાર્યરત