પ્રકૃતિ અને સંસ્કૃતિનો સુભગ સમન્વય: દેવભૂમિ દ્વારકાનું 'હરસિદ્ધિ વન' પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર
2024 માં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે લોકાર્પિત આ સાંસ્કૃતિક વને માત્ર 22 મહિનામાં 10 લાખથી વધુ પ્રવાસીઓને આકર્ષીને કોસ્ટલ ટુરિઝમમાં નવી ઊંચાઈઓ સર કરી છે.દરિયાઈ પટ્ટી પર સ્થિત આ વનમાં 130 જેટલી વૃક્ષ પ્રજાતિઓ અને ૫૫ હજારથી વધુ રોપાઓ વાવવામાં આવ્યા છે. જેમાં વડ, પીપળો, પીલુ, નાળિયેર અને બદામ જેવા સ્થાનિક વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. પર્યાવરણ સંરક્ષણના આ ભગીરથ કાર્યમાં અહીં વિવિધ વાટિકાઓ જેવી કે આયુષવન, ગુગળ વન, કેક્ટસ વાટિકા અને શ્રી કૃષ્ણ ઉ૫વનનું નિર્માણ કરાયું છે.