ગાંધીનગર ખાતે બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરે ઉજવ્યો વિશ્વ પર્યાવરણ દિવસ
વૃક્ષારોપણ કાર્યક્રમમાં બીએસએફ ડીઆઈજી પ્રખાર ત્રિવેદી, અને અજય સૂર્યવંશી તેમજ IPS અભિષેક પાઠક, સહિતના અધિકારીઓ, સબઓર્ડિનેટ અધિકારીઓ, જવાન, તેમના પરિવારજનો અને અંકુર બાલ વાટિકા ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના વરિષ્ઠ અધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી અને કર્મચારીઓને પર્યાવરણ સંરક્ષણ તથા ટકાઉ વિકાસ માટે યોગદાન આપવા પ્રોત્સાહન આપ્યું હતું.આ પહેલ બીએસએફ ફોર્સ હેડક્વાર્ટર્સના નિર્દેશો અનુસાર હાથ ધરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ હરિયાળી વિસ્તાર વધારવો, પર્યાવરણીય સંતુલન પ્રોત્સાહન આપવું અને પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો હતો.