ગુજરાતમાં મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર ઘટાડો
મેલેરિયાના કેસ 1,407 થી ઘટીને 774, ડેન્ગ્યુના 1,293 થી ઘટીને 788 અને ચિકનગુનિયાના કેસ 154થી ઘટીને 80 થયા છે. આ સમયગાળા દરમિયાન મેલેરિયા અને ડેન્ગ્યુના કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી.મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે હાથ ધરાયેલા ઘર-ઘર સર્વેલન્સ અભિયાનમાં 6 કરોડ 51 લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. અભિયાન દરમિયાન 2.57 લાખથી વધુ રક્ત નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં મેલેરિયાના 28 દર્દીઓ મળી આવ્યા હતા અને તેમને સારવાર આપવામાં આવી હતી.