સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શ્રમયોગીઓને પોતાના મતાધિકારનો ઉપયોગ માટે રજા આપવા રાજ્યની શ્રમ કમિશનર કચેરીનો આદેશ
જે તે વિસ્તારોમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડિશન ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસને ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા શ્રમયોગી/કર્મચારીઓને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે, તેમ શ્રમ કમિશનરની અખબારી યાદીમાં જણાવાયુ છે.