સુરેન્દ્રનગરના પટોળાને વૈશ્વિક ઓળખ અપાવનાર પંકજભાઈ મકવાણાને માનદ ‘ડી.લિટ.’ પદવી
આઝમગઢ ખાતે યોજાયેલા દીક્ષાંત સમારોહમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે તેમને આ સન્માન મળ્યું હતું.પંકજનો પરિવાર ત્રણ પેઢીથી વણાટના વ્યવસાય સાથે જોડાયેલો છે. પરંપરાગત પટોળા વણાટની જટિલ પ્રક્રિયાને સરળ અને વ્યવહારુ બનાવવામાં તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમની વિકસાવેલી પદ્ધતિથી વણાટકામ ઝડપી બન્યું અને મહિલાઓ પણ ઘરઆંગણે આ કામગીરી સાથે જોડાઈ શકી, જેના કારણે સ્થાનિક સ્તરે સ્વરોજગારી અને આવકની નવી તકો ઊભી થઈ.