અરવલ્લી : 4 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિનું ઘરમાં જ વિસર્જન કરતો ક્રિસ પરમાર
Live TV
-
પાણીમાં પીઓપીની મૂર્તિનું વિસર્જન કરવાથી પાણી પ્રદૂષિત થતું હોવાથી ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવવી તેમજ ઘરે જ વિસર્જનનો સંદેશ
સમગ્ર દેશ માં ગણેશ મહોત્સવ ભારે ધામધૂમ થી ઉજવાઈ રહ્યો છે ત્યારે પીઓપી ની મૂર્તિ ની સ્થાપના કરી તેને જળાશયો માં વિસર્જિત કરવા થી નદી તળાવ માં ભારે પ્રદુષણ ફેલાય છે અને જળચર પ્રાણીઓ પણ આવા પ્રદુષિત જળ નો ભોગ બને છે. પણ અરવલ્લી જિલ્લાના મોડાસાની અલંકાર સોસાયટી માં રહેતા ક્રિસ અતુલ ભાઈ પરમાર છેલ્લા ચાર વર્ષ થી પોતાના નિવાસ સ્થાને માટી ના સુશોભિત ગણેશજી ની મૂર્તિ બનાવી પાંચ દિવસ સુધી તેનું પૂજન અર્ચન કરે છે. પાંચમા દિવસે ગણપતિનું વિસર્જન કરે છે, પ્રદુષણ ફેલાય નહીં તે માટે આ પરિવાર પોતાના ઘરમાં પ્લાસ્ટિક ના ટબમાં પાણી ભરી શ્રદ્ધા પૂર્વક વિસર્જન કરે છે. ચાલુ વર્ષે પણ ક્રિસ પરમારે ગણપતિ સ્થાપના કર્યા ને પાંચમા દિવસે પોતાના નિવાસ સ્થાને મૂર્તિ નું વિસર્જન કર્યું હતું.
અંકિત ચૌહાણ
અરવલ્લી
