આજથી 12 દિવસ માટે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ
Live TV
-
લોકડાઉન બાદ ફરી એકવાર યાત્રાધામ અંબાજી મંદિર બાર દિવસ માટે આજથી બંધ કરવામાં આવ્યું છે.
કોરોના વાયરસની મહામારીને કારણે ચાલુ વર્ષે અંબાજીમાં ભરાતો ભાદરવી પૂનમનો મેળો બંધ રાખવામાં આવ્યો છે. તો સાથે જ દર્શનાર્થીઓ માટે આજથી મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે.
મંદિર આગામી બાર દિવસ સુધી બંધ રહેશે. મંદિરના દ્વાર બંધ થતાં દર્શનાર્થીઓ રોડ પર ઉભા રહીને માતાજીના દર્શન કરતાં નજરે પડ્યા હતા. તો સાથે જ દર્શનાર્થીઓએ કોરોનાનો ઝડપથી નાશ થાય અને રાબેતા મુજબ પહેલાની જેમ જ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરતા થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.
