દીવમાં ઈ પાસમાંથી પ્રવાસીને છૂટ્ટી આપવામાં આવી
Live TV
-
દીવમાં ઈ પાસમાંથી પ્રવાસીને છૂટ્ટી આપવામાં આવી છે.અત્યાર સુધી કોરોના મહામારીને કારણે દીવમાં આવતા દરેક પ્રવાસી પાસેથી ઈ પાસ બતાવવો ફરજિયાત હતો.આ ઈ પાસ પ્રવાસીઓએ સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી લેવો પડતો હતો.કોરોના મહામારીનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી.જો કે હવે આને રદ કરી દેવામાં આવી છે.હવે દીવમાં સ્થાનિક તંત્રના નોમ્સ મુજબ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.
