રાજ્યના પેન્શન ધારકોને વાર્ષિક હયાતીની ખરાઇ મુદ્દતમાં કરાયો 2 માસનો વધારો
Live TV
-
રાજ્યમાં પેન્શન મેળવતા પેન્શનરો કે કુટુંબ પેન્શનરોને વાર્ષિક હયાતીની ખરાઇ મુદ્દત બે માસ વધારવા માં આવી છે. નાયબ મુખ્યમંત્રી ,નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં પેન્શન મેળવતા પેન્શનરો કુટુંબ પેન્શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ કરવાની હોય છે.
જેના માટે ,પેન્શનરો એ બેંક અથવા ટ્રેઝરીમાં રૂબરૂ જવાનું હોય છે. પેન્શનરો તરફથી નાણા વિભાગ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી કે, કોરોનાની આ મહામારી દરમ્યાન વૃધ્ધ-ઉંમર લાયક પેન્શનરોને બેંક અથવા ટ્રેઝરીમાં જવું યોગ્ય નથી.
જેથી ખરાઇ કરવા ની મુદત વધારવામાં આવી છે. જેથી હવે 31 ઓક્ટોબર-૨૦૨૦ સુધી પેન્શનરો ,પોતાના હયાતી ની ખરાઇ સંબંધિત ,બેંક માં ,અથવા જિલ્લા તિજોરી કચેરી ,અથવા પેન્શન ચુકવણા કચેરીઓમાં રૂબરૂ જઇ ને કે Jeevan Pramaan Portal પર ઓન લાઈન ખરાઇ પણ કરાવી શકશે.
