કોરોના સંક્રમણ રોકવા નવસારી ટ્રાફિક પોલીસે જાગૃતિ અભિયાન હાથ ધર્યું
Live TV
-
કોરોના મહામારીનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે નવસારી જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કોરોના સંક્રમણ રોકવા બેનરોમાં સુત્રો લખી શહેરીજનોને સંક્રમણ રોકવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
નવસારી જીલ્લામાં કોરોના સંક્રમણમાં ભારે વધારો થયો છે જેના પગલે વહીવટીતંત્રએ સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી છૂટછાટ આપી છે.
કોરોના સંક્રમણ રોકવા નવસારી જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જરૂર ન હોય તો ઘર બહાર ન નીકળવા, માસ્ક પહેરવા, સોશીયલ ડીસ્ટન્સ જાળવવા, હાથ વારંવાર સાફ કરવા અને વડીલો તથા બાળકો તેમજ બીમાર વ્યક્તિને ઘરમાં રહેવા અપીલ કરતા બેનરો સાથે નવસારી શહેરનાં જુનાથાણા, ટાવર, લુન્સીકુઈ, દુધિયા તળાવ, સ્ટેશન, જેવા અનેક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો માહિતગાર કરી રહિયા છે.
