ગીર સોમનાથ: જિલ્લા કલેક્ટરે સાંભળ્યા લોકોના પ્રશ્નો
Live TV
-
સૂત્રાપાડાના પાધુડા ગામે બેઠકનું આયોજન કરીને ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા
ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પાધુડા ગામે જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ રાત્રી રોકાણ કરી એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા હતા. સાથે જ તમામ પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે ખાતરી પણ આપી હતી. અધિકારીઓ દ્વારા જેવા કે, વીજળી, પાણી તેમજ રાશન જેવા મહત્વના પ્રશ્નનો તાત્કાલિક નિવેડો લાવવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા એક નવતર અભિગમ અપનાવી ગામે ગામ જઈ પ્રજાજનોના પ્રશ્નો તથા તકલીફો સાંભળી યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિવિધ સ્થળોએ બેઠકો યોજાય છે. જેમાં ઘટનાસ્થળે વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવે છે.
