વલસાડમાં ઈન્ડિયા પેન સાઈકલ રેલીનું આયોજન
Live TV
-
24 જેટલા NCC કેડેટ્સ દ્વારા વલસાડથી નવસારી સુધી રેલીનું આયોજન
વલસાડમાં બી.કે.એમ સાયન્સ કોલેજ ખાતે સ્વચ્છતા પખવાડા અંતર્ગત ઈન્ડિયા પેન સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.. જેમા 24 જેટલા NCC કેડેટ્સ દ્વારા, વલસાડથી નવસારી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે..જેમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવવાનુ નક્કી કરેલ છે જે નિમિત્તે વિવિધ કાર્યક્રમો અંતર્ગત સ્વચ્છતા પખવાડા પેન ઈન્ડિયા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેની શરૂઆત BKM કોલેજથી કરવામાં આવી હતી.
