છોટા ઉદેપુર જિલ્લામાં પાણી જન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો
Live TV
-
આરોગ્ય તંત્ર દ્વારા લોકોને ઉકાળેલુ પાણી પીવા અને આસપાસ સ્વચ્છતા રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
છોટા ઉદેપુર જિલ્લામાં પાણી જન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. આરોગ્ય વિભાગ પણ રોગાચાળાને પહોંચી વળવા કામે લાગ્યુ છે. જિલ્લામાં ઝાડા, ઉલટી, ટાઈફોઈડ, મેલેરિયા, કમળા જેવા રોગોએ ભરડો લીધો છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 6 હજાર 428, મેલેરિયાના 19 હજાર 522, અને ડેંગ્યુ અને ચિકન ગુનિયાના 2થી4 દર્દીઓના કેસ નોંધાયા છે. જિલ્લામાં ફાટી નીકળેલા રોગચાળાને ડામવા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને ઉકાળેલુ પાણી પીવા અને આસપાસ સ્વચ્છતા રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
