દ્વારકાઃ દરિયાકાંઠે છે જમીનમાંથી મળેલ સૂર્યમુખી ગણપતિદાદાનું મંદિર
Live TV
-
હાલ રાજ્યભરમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે દ્વારકાના અરબી સમુદ્ર કાંઠે સૂર્યમુખી ગણપતિ દાદાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. લાઈટ હાઉસ એટલે કે દીવાદાંડીના પ્રાંગણમાં અંદાજે 60 વર્ષ પહેલા લાઈટ હાઉસના નવીનીકરણ સમયે જમીનમાંથી આ મૂર્તિનું પ્રાગટ્ય થયું હોવાનું માનવામાં આવે છે.
કોઈ પૂજારી વગર આ પ્રખ્યાત મંદિરની સેવા ભાવિક ભક્તો અને લાઈટ હાઉસના કર્મીઓ કરે છે. ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના અને સવાર-સાંજ નિયમિત આરતી સાથે બાપ્પાને નિયમિત શૃંગાર, અન્નકૂટ અને દરેક ઉત્સવ અહીં ઉત્સાહભેર ઉજવવામાં આવે છે.
