પંચમહાલઃ કોરોનાને પગલે પરંપરાગત ઝાલાનો મેળો રદ્દ
Live TV
-
પંચમહાલના શહેરાના નાંદરવા ગામે દર વર્ષે પરંપરાગત ઝાલાનો મેળો યોજાય છે. જે આ વર્ષે ચાલી રહેલ કોરોના મહામારીને પગલે રદ્દ કરવામાં આવ્યો છે. કોરોના મહામારી વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ મેળામાં શહેરા, મોરવા હડફ અને ગોધરા સહિત આસપાસના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. પશુઓના દીર્ઘાયુ તેમજ સમગ્ર વર્ષ દરમિયાન દુધાળા બની રહે તે માટે પશુપાલકો અને ખેડૂતો પણ મેળામાં આવતા હોય છે. દર વર્ષે ભાદરવા માસના બીજા રવિવારે આ મેળો ભરાય છે.
