ધંધુકામાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
ધંધુકામાં ભરતી મેળાનું આયોજન કરાયુ જેમાં મુખ્યમંત્રી સાગરખેડૂ યોજના અંતર્ગત રોજગાર ભરતી મેળામાં સાત રોજગાર દાતાઓનાં પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતાં
ધંધુકામાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રી સાગરખેડૂ યોજના અંતર્ગત રોજગાર ભરતી મેળામાં સાત રોજગાર દાતાઓનાં પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતાં અને બસ્સો ઉપસ્થિત રોજગાર વાંચ્છુમાથી પચાસ યુવાનોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે, એલ & ટી,એસ બી એસ સોલ્યુશન, સ્પાર્ક રબર,એલ આઈ સી, રિલાયેબલ ફસટ, રામદેવ રેસ્ટોરન્ટ વિગેરે નોકરિદતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રોજગારી આપવામાં આવે છે.
આ કાર્યકમ અંતર્ગત સ્વરોજગાર શિબિર પણ્ યોજવામાં આવી હતી. મદદનીશ નિયામક રોજગાર અમદાવાદ શ્રી એસ આર વિજયવર્ગીયએ નવ વિભાગની ગુજરાત સરકારની સબસિડી આપતી સ્વરોજગાર યોજનાની માહિતી પત્રિકા તેમજ વિસ્તૃત માહિતી આપી હતી, આઈ ટી આઈનાં ફોરમેન સોલંકી અને સ્ટાફ ગણ તથા રોજગાર કચેરી અમદાવાદના સ્ટાફ અને વિપુલ સંખ્યામાં રોજગાર વાંચ્છુઓ ઉપસ્થિત રહ્યા હતા. રોજગાર ભરતી મેળા આશીર્વાદ રૂપ બન્યા છે એવો અભિપ્રાય રોજગાર દાતાઓ અને રોજગાર ઇચ્છુકો એ આપ્યો હતો.
