મોરબીના પોલીસ કોન્સ્ટેબલે બચાવ્યો 11 વ્યક્તિઓનો જીવ
Live TV
-
મોરબીના ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ ધસમસતા પાણીના પ્રવાહમાંથી 2 બાળકીઓ અને 9 શિક્ષકોને બચાવ્યા
મોરબીના ટંકારાના કલ્યાણપુર ગામમાં નાના બાળકો માટે એક પોલીસ જવાન દેવદૂત બન્યો હતો. મોરબીના ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ ધસમસતા પાણીના પ્રવાહમાંથી 2 બાળકીઓ અને 9 શિક્ષકોને બચાવીને, પોતાની હિંમતની મિસાલ આપી હતી. પૃથ્વીરાજસિંહે પોતાના ખભા ઉપર બંને બાળકીઓને બેસાડીને, પાણીના પ્રવાહમાંથી બહાર કાઢી હતી. સ્કૂલમાં કુલ 34 બાળાઓ ફસાઈ હતી, જે તમામને NDRFની ટીમ દ્વારા બચાવવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૃથ્વીરાજસિંહ જાડેજા સાથે ટેલિફોનિક વાતચીત કરીને અભિનંદન પાઠવ્યા હતા.
