શાહપુર યુવક મંડળ દ્વારા વિસ્તારના 300 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન
Live TV
-
શાહપુર વિસ્તારના 300 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ ઉચ્ચ અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રમાં કારકિર્દી ઘડીને સમાજ સેવા કરી રહેલા યુવાનોનું પણ કરાયું સન્માન
શાહપુર યુવક મંડળ દ્વારા વિસ્તારના 300 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાહપુર વિસ્તારમાં ઉચ્ચ અભ્યાસ કરીને વિવિધ ક્ષેત્રમાં કારકિર્દી ઘડીને સમાજ સેવા કરી રહેલા યુવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. જગદીશ ભાવસાર, અમદાવાદ ભાજપના મહામંત્રી કૌશિક જૈન, બ્રહ્મ સમાજના આગેવાન આર.સી. મહેતા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થયું હતું.
