MS યુનિવર્સિટી ખાતે બંધારણીય કાયદા, નવા પડકારો વિષય પર સેમિનાર યોજાયો
Live TV
-
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની લો ફેકલ્ટી અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચેરના સંયુક્ત ઉપક્રમે બંધારણીય કાયદા, નવા પડકારો વિષય પર સેમિનાર યોજાયો હતો.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની લો ફેકલ્ટી અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ચેરના સંયુક્ત ઉપક્રમે બંધારણીય કાયદા, નવા પડકારો વિષય પર સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડે ભારતના બંધારણ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમજ નવા વકીલોને સમાજના દરેક વર્ગને ન્યાય અપાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે એમ. એસ. યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીદેવી ઉપસ્થિત રહ્યા હતા. વકીલો અને લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ જસ્ટિસ ચંદ્રચૂડના વ્યાખ્યાનને રસપૂર્વક સાંભળ્યું હતું.
