આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુકાબલો
Live TV
-
સેમિફાઇનલમાં પ્રવેશના ઇરાદા સાથે ભારતીય ટીમ ઉતરશે મેદાને
વર્લ્ડકપમાં ભારતીય ટીમ આજે યજમાન ઈંગ્લેન્ડની ટીમ સાથે ટકરાશે. બર્મિઘહામના મેદાન પર ભારત સેમિફાઈનલમાં પ્રવેશવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. જ્યારે સેમિફાઈનલમાં પ્રવેશની આશાને જીવંત રાખવા ઈંગ્લેન્ડ માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે. આ પહેલાં ,ક્રિકેટ વિશ્વકપમાં શનિવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનને ત્રણ વિકેટે પરાજ્ય આપ્યો હતો. શનિવારે જ વિશ્વકપના અન્ય મુકાબલામાં લોર્ડસના મેદાન પર ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ ને 86 રનથી પરાજય આપ્યો હતો.આજની મેચમાં ઇંગ્લેન્ડ જો ભારત સામે હારી જશે તો સેમિફાઇનલમાં પહોંચવાનું તેનું સ્વપ્ન ચકનાચૂર બની શકે છે. સેમિફાઇનલની હોડમાં જીવંત રહેવા માટે ઇંગ્લેન્ડે કોઇ પણ ભોગે આ મેચ જીતવી જરૂરી છે. પોઇન્ટ ટેબલમાં ભારતીય ટીમ છ મેચમાં ૧૧ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. ઇંગ્લેન્ડની ટીમ સાત મેચમાં આઠ પોઇન્ટ ધરાવે છે.
