આયર્લેન્ડ સામેની T20 કિક્રેટ શ્રેણી માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત
Live TV
-
વરિષ્ઠ પસંદગી સમિતિએ 18 ઓગસ્ટથી ડબલિનમાં રમાનારી આયર્લેન્ડ સામેની ત્રણ મેચની T 20 કિક્રેટ શ્રેણી માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. જસપ્રીત બુમરાહ આયર્લેન્ડ સામેની T 20 ક્રિકેટ મેચ માટે ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. બુમરાહ ઈજાના કારણે લાંબા અંતર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરી રહ્યો છે.
ટીમના સભ્યો આ મુજબ છે. કપ્તાન જસપ્રિત બુમરાહ, ઉપકપ્તાન રૂતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, વિકેટકીપર સંજુ સેમસન, વિકેટકીપર જીતેશ શર્મા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, પ્રખ્યાત કૃષ્ણા, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને અવેશ ખાન.
