આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડકપ માટે થશે ટકકરનો મુકાબલો
Live TV
-
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત-પાકિસ્તાન વચ્ચેની વનડે વર્લ્ડકપ મેચ રમાશે. ત્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજાને ટક્કર આપવા પ્રેક્ટિસ કરી રહ્યા છે.
આવતીકાલે મેચ પહેલાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાવાનો હોવાથી કલાકારોએ આ માટેની પ્રેક્ટિસ શરૂ કરી હતી. આવતીકાલે હિન્દી ફિલ્મ જગતના સુખવિન્દર સિંઘ, શંકર મહાદેવન અને અરિજિત સિંહ જેવા ગાયકો આ કાર્યક્રમમાં પરફોર્મ કરશે.
તો આ તરફ જ્યારથી આ મેચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી જ પ્રેક્ષકોમાં માહોલ જામ્યો છે. જોકે, હવે મેચને ગણતરીના કલાક બાકી હોવાથી પ્રેક્ષકો સહિત ખેલાડીઓ પણ સ્ટેડિયમમાં જવા માટે ઉત્સુક છે. આ મેચ જોવા માટે દિલ્હી, મુંબઈ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાંથી પ્રેક્ષકો અમદાવાદ આવી પહોંચી રહ્યા છે.
