ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર
Live TV
-
ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે બે અલગ-અલગ ટીમની જાહેરાત કરી હતી. શરૂઆતની બે મેચ માટે રોહિત શર્માની ગેરહાજરીમાં કે.એલ.રાહુલને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. જ્યારે રવિન્દ્ર જાડેજાને સહ કેપ્ટન બનાવાયા છે.
રોહિત શર્મા, વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પહેલી બે મેચ માટે આરામ અપાયો છે. જો કે, ત્રીજી અને અંતિમ વન ડેમાં, આ ત્રણેય ખેલાડી ટીમમાં સામેલ રહેશે. પહેલી મેચ શુક્રવારે મોહાલીમાં રમાશે. પસંદગીકારોએ ઓફ સ્પિનર આર. અશ્વિન અને વોશિંગ્ટન સુંદરનો ભારતીય ટીમમાં સમાવેશ કર્યો છે.
