ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચોની ટી-ટ્વેન્ટી સિરિઝમાં સૂર્યકુમાર યાદવને સોંપાઈ ટીમની કમાન, 23 નવેમ્બરે વિશાખાપટન્નમમાં રમાશે પહેલો મુકાબલો
Live TV
-
23મી નવેમ્બર, 2023થી વિશાખાપટ્ટનમમાં શરૂ થનારી આગામી પાંચ મેચની T20 શ્રેણી માટે કેપ્ટન તરીકે સુર્યકુમાર યાદવ જયારે ઋરૂતુરાજ ગાયકવાડની વાઈસ-કેપ્ટન તરીકે પસંદગી થઇ છે.
ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે ભારતની ટીમની જાહેરાત થઇ ગઈ છે. મેન્સ સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા સામે 23મી નવેમ્બર, 2023થી વિશાખાપટ્ટનમમાં શરૂ થનારી આગામી પાંચ મેચની T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં કેપ્ટન તરીકે સુર્યકુમાર યાદવ જયારે ઋરૂતુરાજ ગાયકવાડની વાઈસ-કેપ્ટન તરીકે પસંદગી થઇ છે.અન્ય ખેલાડીઓમાં ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, અવેશ ખાન, મુકેશ કુમારનો સમાવેશ થાય છે.
