ભારતીય ક્રિકેટ ટીમે આયર્લેન્ડ સામેની T20 શ્રેણીમાં મેળવી જીત
Live TV
-
જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે આયર્લેન્ડ સામેની T20 શ્રેણી જીતી લીધી છે.
જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે આયર્લેન્ડ સામેની T20 શ્રેણી જીતી લીધી છે. 20 ઓગસ્ટને રવિવારના રોજ રમાયેલી શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને 33 રને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે.
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ઋતુરાજ ગાયકવાડની અડધી સદીના આધારે 185 રન બનાવ્યા હતા, ત્યારબાદ પ્રસિદ્ધ કિષ્ણા અને રવિ બિશ્નોઈની ધારદાર બોલિંગ સામે આયરલેન્ડ 20 ઓવરમાં 152 રન જ બનાવી શક્યું હતું અને ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. આ સાથે ભારતે આયર્લેન્ડ સામે શ્રેણી જીતવાની હેટ્રિક પણ પૂરી કરી છે.
