ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદાએ FIDE વિશ્વ કપ ચેસ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો
Live TV
-
ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદાએ FIDE વિશ્વ કપ ચેસ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તેણે અર્જુન એરિગાઈસીને 5-4થી પરાજ્ય આપ્યો હતો. પ્રજ્ઞાનંદા પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ બાદનો ભારતીય ખેલાડી છે.
રમેશબાબુ પ્રજ્ઞાનંદ તમિલનાડુના છે. તેણે સાત વર્ષની ઉંમરે વર્લ્ડ યુથ ચેસ ચેમ્પિયનશીપ જીતી હતી. તે પછી નવ વર્ષની ઉંમરે તેણે અંડર-10નો ખિતાબ જીત્યો. તે ગ્રાન્ડમાસ્ટર બનનાર વિશ્વનો પાંચમો સૌથી યુવા ચેસ ખેલાડી છે. તેને વર્ષ 2018માં ગ્રાન્ડમાસ્ટરનો દરજ્જો મળ્યો હતો. ત્યારે તેની ઉંમર 12 વર્ષ 10 મહિના અને 13 દિવસની હતી. મેગ્નસ કાર્લસનને હરાવનાર તે માત્ર ત્રીજો ભારતીય ચેસ ખેલાડી છે. તેમના પહેલા માત્ર વિશ્વનાથન આનંદ અને પી હરિકૃષ્ણ જ આ કારનામું કરી શક્યા હતા.
