રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3 વન ડે મેચની સીરીઝનો અંતિમ મુકાબલો
Live TV
-
રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3 વન ડે મેચની સીરીઝનો અંતિમ મુકાબલો, ટીમ ઈન્ડિયા 3 વનડે શ્રેણીમાં 2-0થી આગળ
ભારત અને ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વચ્ચેની ત્રણ મેચની વનડે સિરીઝની આજે છેલ્લી મેચ રાજકોટમાં રમાશે. જોકે, ભારતે પહેલી બે મેચ જીતી સીરિઝ પર 2-0 થી સીરિઝ પોતાના નામે કરી લીધી છે, એવામાં અંતિમ મેચ ભારત (Team India) માટે પ્રેક્ટિસ મેચ સમાન રહેશે. ભારતે આ બંને મેચ કે. એલ. રાહુલની કેપ્ટન્સીમાં રમી હતી. જ્યારે હવે ત્રીજી મેચમાં કેપ્ટન તરીકે રોહિત શર્મા પરત આવશે. તેની સાથે અન્ય ખેલાડીઓ રાજકોટ પહોંચી ગયા છે. ભારતીય ટીમ 25 સપ્ટેમ્બરે રાજકોટ પહોંચી હતી.
