રોહિત શર્મા અને લોકેશ રાહુલની દમદાર બેટિંગથી ભારતે શ્રીલંકા સામે વિજય મેળવ્યો
Live TV
-
ભારતે શ્રીલંકાને સાત વિકેટેથી હરાવ્યું હતું. શ્રીલંકાએ ભારત સમક્ષ જીત માટે 265 રનનું લક્ષ્ય મૂક્યું હતું. ટીમે 43.3 ઓવરમાં આ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું.
ICC વિશ્વકપની છેલ્લી લીગ મેચમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલની દમદાર બેટિંગથી ભારતે શ્રીલંકા સામે વિજય મેળવ્યો હતો. ભારતે શ્રીલંકાને સાત વિકેટેથી હરાવ્યું હતું. શ્રીલંકાએ ભારત સમક્ષ જીત માટે 265 રનનું લક્ષ્ય મૂક્યું હતું. ટીમે 43.3 ઓવરમાં આ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. લોકેશ રાહુલ અને રોહિત શર્માએ જોરદાર બેટિંગ દ્વારા 19 ઓવરમાં જ 100 રનનો સ્કોર પ્રાપ્ત કરી લીધો હતો. રોહિતે 94 બોલમાં 103 બનાવ્યા હતા, તો લોકેશ રાહુલ 118 બોલમાં 111 રન બનાવ્યા હતા. અન્ય એક મેચમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને પરાજ્ય આપ્યો હતો. હવે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નવમી જુલાઈએ પ્રથમ સેમિફાઈનલ રમાશે.
