2026 કે 2030માં યોજાનારી રાષ્ટ્રમંડળની રમતોની યજમાની કરવા માટે ભારત દાવેદારી નોંધાવશે
Live TV
-
ભારતીય ઓલિમ્પિક સંઘે જણાવ્યું છે કે, 2026 કે 2030માં યોજાનારી રાષ્ટ્રમંડળની રમતોની યજમાની કરવા માટે ભારત દાવેદારી નોંધાવશે. તેની સાથે I.O.A.એ બર્મિંગહામમાં 2022માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે સહમતી દર્શાવી દીધી છે.
ભારતીય ઓલિમ્પિક સંઘે જણાવ્યું છે કે, 2026 કે 2030માં યોજાનારી રાષ્ટ્રમંડળની રમતોની યજમાની કરવા માટે ભારત દાવેદારી નોંધાવશે. તેની સાથે I.O.A.એ બર્મિંગહામમાં 2022માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા માટે સહમતી દર્શાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, બર્મિંગહામ 2022ની રમતોમાંથી શૂટિંગ સ્પર્ધા હટાવ્યા બાદ ભારતમાંથી આ રમતોનો બહિષ્કાર કરવાની ચર્ચા થતી હતી. ઓલિમ્પિક ગેમ્સની દેશની ઉચ્ચ સંસ્થા I.O.A. હવે રાષ્ટ્રમંડળ ખેલ માટે યજમાનીની જરૂરિયાત માટે અને સ્વીકૃતિ માટે સરકારનો સંપર્ક સાધશે. મહત્વપૂર્ણ છે કે, 2010માં ભારતે રાષ્ટ્રમંડળ રમતોત્સવની યજમાની કરી હતી.
