Skip to main content
Settings Settings for Dark

જાણો સુંદર પક્ષી શક્કરખોરો વિષય

Live TV

X
  • શક્કરખોરો  (વૈજ્ઞાનિક નામ: Cinnyris asiaticus)

    મને એક વાર વિચાર આવ્યો કે મારા ઘર ની આજુબાજુ રોજ બરોજ આવતા નાના પક્ષી ક્યાં છે .... પછી નોંધ લેવાનું શરૂ કર્યું... દરજીડો - પતરાંગો - દૈયડ - દેશી ચકલી - રાખોડી ફડકફુતકી  વગેરે વગેરે....
    આમાંથી પોતાની દરરોજ ની હાજરી થી મને સક્કરખોરો પ્રભાવિત કરી ગયો....

    શકકરખોરા ની લંબાઈ ચાંચ થી લઈને પુછડી સુધી ની ૪ ઈચ ની હોય છે. એટલેકે દરજીડા કરતા પણ નાનું લાગે....
    નવાય લાગી ને .... પહેલીવાર મે જોયુ હતું ત્યારે મને પણ આવું જ કાંઈક થયું હતું.....!!! નર અને માદા સહેલાઈથી ઓળખી શકાય તેવા હોય છે. નરનો ઉપરનો ભાગ ઘેરો મરુન હોય છે. નર નો કલર કાળો અને આભાસી જાંબલી કલરની પાંખો દેખાય છે. માદા શકકરખોરાનો ઉપરનો ભાગ ભૂખરો અને નીચે નો ભાગ પીળાશ પડતો હોય છે. શકકરખોરાની ૨૪ જાતો ભારત ભર માં જોવા મળે છે .... આમાંથી ગુજરાત માં ફકત ૨ જાત જોવા મળે છે. 
    ૧) જાંબલી શકકરખોરો
    ૨) પચરંગી શકકરખોરો
    જો ઘરની આજુ બાજુ ફૂલો ઉગાડવામાં આવે તો શકકરખોરો અચૂક જોવા મળે છે. ગામડામાં એ સામાન્ય પક્ષી માં ગણાય છે .... શકકરખોરાની ફૂલમાંથી રસ ચૂસવાની સ્ટાઈલ જોઈ ને મોઢામાંથી वाह क्या बात है..... 
    આવું નીકળી જાય છે. સંવનન સમયે નર શકકરખોરાનો કલર વધુ ઘટો અને સુંદર બની જાય છે અને શકકરખોરો આ સમય દરમિયાન મદા પાછળ ઉડ્યા કરે છે. આ સમયે નર માદાને આકર્ષવા માટે ડોક ઊંચી રાખી પોતાની પાંખોને અડધી ખોલે છે અને પૂંછડીના પીછાં પંખાની માફક ખોલીને પ્રદર્શિત કરે છે. આવી રીતે તે મદાને રીઝવવાનો પ્રયત્ન કરે છે. આ સમયમાં નરની ડોકનો કલર જાણે કોઈ અલંકાર પહેર્યું હોય એવો લાલાશ કલર બની જાય છે . એવી લોકમાન્યતા પણ છે કે શકકરખોરા એક વાર જોડી બનાવે પછી સાથે જ રહે છે ( મારું અવલોકન આને માન્યતા આપતું નથી )  વસંત - ગ્રીષ્મ અને વર્ષા ઋતુ તેનો ગર્ભધારણ નો સમય હોય છે . ઘણી વાર વર્ષમાં બે વખત પણ સંવનન કરતા હોવાનું પણ અવલોકન થયેલ છે. માળો બનાવવાનું કામ મોટે ભાગે માદા કરતી હોય છે. માળો બનાવવા તે કરોળિયાના જાળા, દોરા, તાંતણા તથા સૂકા પાંદડાંઓનો ઉપયોગ કરે છે. માળો જમીનથી ૮-૧૦ ફૂટ ઊંચો બનાવે છે. માળો સીવેલો નથી હોતો, પણ કરોળિયાના જાળા વડે બાંધેલો હોય છે. મળો અંદરથી ખુબજ સુવાળો અને બહારથી ચિથરા જેવો જેનાથી તે દુશ્મનની નજરમાં નથી આવતો. તેનો માળો લગભગ ૧૦ દિવસમાં  સંપૂર્ણપણે બંધાઈ જાઈ છે. સંવનન પછી માદા બે થી ચાર ઈંડા મૂકુ છે. ઈંડા સફેદ અને બદામી કલરના છૂંદણાં વાળા હોય છે. ૧૫ થી ૧૭ દિવસ માટે તેને સેવે છે. ઈંડાનું સેવન ફક્ત માદા જ કરે છે. તેના બચ્ચાંને પ્રથમ જીવાતનો ખોરાક ખવડાવી ઉછેરે છે, જેમાં તેને નર પણ મદદ કરે છે. ૧૫-૨૦ દિવસ દરમિયાન બચ્ચા માળામાંથી ઉડવા માટે શક્ષમ બની જાય છે.  શીમળો , જાસૂદ, પારસ પીપળો, બાવળ, અરડુસી, સવંત, કરેણ, ખાખરો... જેવા જંગલ ના ઝાડો માં પરાગનયન ની ક્રિયામાં મદદ રૂપ થાય છે . જે ખેડૂત બાગાયતી પાક લેતા હોય તેનો શકકરખોરો સાચો મિત્ર છે કારણ કે પરાગનયન ની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે અને જીવાત ખાઈ ને પાકને બચાવવા માં મોટો ભાગ ભજવે છે. 
    (ફોટો સ્ટોરી: ધર્મેન અઘ્વર્યું @safal.dharmen ઇકો ફ્રેન્ડ્સ ગુજરાત @ecofriends.gujarat)

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
apply