પાટણ ખાતે તા. 12 અને 13 ફેબ્રુઆરીએ વિશ્વ વિરાસત રાણીકી વાવ ઉત્સવ-2023નું આયોજન
Live TV
-
‘’આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી હર્ષ સંઘવી અને બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં આગામી 12 અને 13 ફેબ્રુઆરીએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટીએ જણાવ્યું હતુ કે, પાટણની રાણીની વાવમાં ખાતે સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંગીત સમારોહમાં રાજ્યના ખ્યાતનામ કલાકારો ઈશાની દવે અને રાજભા ગઢવી સંગીતના સૂરો રેલાવશે.