NSD ના ઉપક્રમે દિલ્હીમાં ભારત રંગ મહોત્સવનો આજથી આરંભ
Live TV
-
નવી દિલ્હીના કામાની ઓડિટોરિયમમાં 22મા ભારત રંગ મહોત્સવનો આજથી આરંભ થશે. સાંસ્કૃતિક રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ મહોત્સવનો પ્રારંભ કરાવશે. રાષ્ટ્રીય સ્તરના રંગ મહોત્સવમાં 100થી વધુ નાટ્ય કંપનીઓ ભાગ લે તેવી સંભાવા છે. નાટકોની રજૂઆત ઉપરાંત રંગ મહોત્સવમાં પુસ્તકોનું વિમોચન, દિગ્દર્શકની બેઠક, રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય પરિસંવાદ જેવા વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.
નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ઉપક્રમે યોજાઈ રહેલ રંગ મહોત્સવ દિલ્હી ઉપરાંત જયપુર, રાજમુદ્રી, રાંચી, ગુવહાટી, જમ્મુ, ભોપાલ, નાસિક અને કેવડિયામાં પણ યોજાશે. મહોત્સવનો સમાપન સમારંભ આગામી 26મી ફેબ્રુઆરીએ કેવડિયામાં યોજાશે.