અંબાજી ખાતે મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ભાદરવી પુનમિયા સંઘની બેઠક યોજાઈ
Live TV
-
યાત્રાધામ અંબાજી ખાતે આગામી 5 થી 10 સપ્ટેમ્બર, 2022 સુધી ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન થશે. તેને લઈને હાલ વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આજે અંબાજી ખાતે આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ભાદરવી પુનમિયા સંઘની બેઠક યોજાઈ હતી. તેમણે મેળામાં અપાતી સુવિધાની સમીક્ષા કરી હતી. આ વખતે પગપાળા અંબાજી આવતા સંઘોના વાહનોને અડચણ ન થાય તે માટે સૌ પ્રથમ વખત ડિઝીટલ વાહન પાસ આપવાની વ્યવસ્થા કરાઈ છે.
જયારે અંબાજી આવતા તમામ પદયાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા સાથે, Water Proof શામિયાણા અને અંબાજી આસપાસના વિસ્તારોમાં જંગલ વિસ્તારોમાં લાઈટિંગ વ્યવસ્થા, આરોગ્ય લક્ષી સુવિધાઓ ઉભી કરાશે. યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ ફોર્સ પણ તૈનાત કરાશે.
