Skip to main content
Settings Settings for Dark

અંબાણી પરિવારના પુત્રવધુ રાધિકા મર્ચન્ટ જામનગરમાં, ITRAની મુલાકાત લીધી

Live TV

X
  • રિલાયન્સ પરિવારના અનંત અંબાણીના જીવનસાથી રાધિકા મર્ચન્ટ અંબાણીએ જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ - (ITRA) ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાધિકા અંબાણીએ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી અને સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી.

    રિલાયન્સ પરિવારના અનંત અંબાણીના જીવનસાથી રાધિકા મર્ચન્ટ અંબાણીએ જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ - (ITRA) ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાધિકા અંબાણીએ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી અને સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. રાધિકા અંબાણીએ ITRAના વિવિધ વિભાગમાં મુલાકાત કરી હતી અને ત્યાં ચાલી રહેલા શિક્ષણ અને સંશોધન કાર્યો વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. તેમને આયુર્વેદના વિવિધ પાસાઓ જેવા કે નિદાન પદ્ધતિ, ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ, લેબોરેટરીની કામગીરી અને પરંપરાગત ઉપચાર વિશે જાણકારી મેળવી, સંસ્થાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરી સાથે નિષ્ણાત ડોક્ટરો અને અધિકારીઓની એક ટીમ આ મુલાકાત દરમિયાન રાધિકા અંબાણી સાથે જોડાઈ હતી અને ITRAમાં ઉપલબ્ધ વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.

    ઉલ્લેખનીય છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA), જામનગર એ આયુષ મંત્રાલય દ્વારા સ્થાપિત દેશની રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સૌ પ્રથમ સંસ્થા છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ આયુર્વેદના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધન કાર્યને વેગ આપી પ્રોત્સાહન આપવાનો છે. સંસ્થા દ્વારા વિવિધ અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ, ડિપ્લોમા અને ડોક્ટરેટ સ્તરના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ ઉપરાંત, ITRA આયુર્વેદના પરંપરાગત જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને સંશોધન કાર્ય પણ કરે છે.

    રાધિકા અંબાણીની આ મુલાકાત આયુર્વેદ પ્રત્યેની તેમની ઊંડી રુચિ પ્રદર્શિત કરે છે. તેમના આ પ્રકારે સંસ્થાની મુલાકાત લેવાથી આયુર્વેદના વધતાં  વૈશ્વિક મહત્વ અને સ્વીકૃતિને પ્રોત્સાહન મળશે. આ મુલાકાત દરમિયાન રાધિકા અંબાણીએ સંસ્થાના ડોક્ટરો અને અધિકારીઓ સાથે આયુર્વેદના ભવિષ્ય અને તેના વિકાસની સંભાવનાઓ વિશે પણ ચર્ચા કરી હતી. સંસ્થાના ડિરેક્ટર અન્ય વરિષ્ઠ અધ્યાપકોએ તેમનું શુભેછા ભેંટ સાથે સ્વાગત કર્યું હતું અને સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. રાધિકા અંબાણીએ ITRA દ્વારા કરવામાં આવી રહેલા ઉચ્ચ સ્તરના સંશોધન અને શિક્ષણ કાર્યની પ્રશંસા કરી હતી. આ મુલાકાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ - (ITRA) માટે એક મહત્વપૂર્ણ ઘટના બની રહી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply