Skip to main content
Settings Settings for Dark

કેદારનાથ જતી ગુજરાતી યાત્રીઓની બસ પલટી, 18 ઈજાગ્રસ્ત

Live TV

X
  • ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો ચાર ધામ યાત્રાએ ગયા છે. ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઉત્તરકાશીથી કેદારનાથ જતી વખતે પલટી ગઈ હતી. જેમાં 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં 30થી વધુ લોકો હતા. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે યાત્રીઓએ ત્રણ દિવસ પહેલા હરિદ્વારથી ચાર-ધામની યાત્રા માટે વાહન બુક કરાવ્યું હતું અને દુર્ઘટના સમયે કેદારનાથ જઈ રહ્યા હતા.

    ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો ચાર ધામ યાત્રાએ ગયા છે. ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઉત્તરકાશીથી કેદારનાથ જતી વખતે પલટી ગઈ હતી. જેમાં 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં 30થી વધુ લોકો હતા. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે યાત્રીઓએ ત્રણ દિવસ પહેલા હરિદ્વારથી ચાર-ધામની યાત્રા માટે વાહન બુક કરાવ્યું હતું અને દુર્ઘટના સમયે કેદારનાથ જઈ રહ્યા હતા. નવી ટિહરી-ઘનસાલી મોટર માર્ગ પર એક બસ પલટી જવાની માહિતીથી ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. 11 જૂનના રોજ એક બસ ઉત્તરકાશીથી કેદારનાથ તરફ જઈ રહી હતી. નવી ટિહરી-ઘનસાલી મોટર માર્ગ પર ટિપરીથી લગભગ 1.5 કિલોમીટર આગળ પહોંચતા જ બસ અનિયંત્રિત થઈને રસ્તા પર પલટી ગઈ હતી. દુર્ઘટના દરમિયાન બસમાં લગભગ 35 યાત્રીઓ સવાર હતા, જેમાંથી લગભગ 18 લોકો ઘાયલ થયા હતા.

    3 યાત્રી ગંભીર રીતે ઘાયલ

    સ્થાનિક લોકોએ પોલીસ પ્રશાસનને આ દુર્ઘટનાની જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ટીમ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ ટીમ અને એસડીઆરએફ ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને બચાવ્યા હતા. બસમાં સવાર ત્રણ યાત્રીઓ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર નંદગાંવમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply