Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને રિવરફ્રન્ટ હાઉસ ખાતે તિરંગા યાત્રા સંદર્ભે બેઠક યોજાઈ

Live TV

X
  • અમદાવાદમાં 13 ઓગસ્ટના દિવસે અમદાવાદ મહાનગરપાલિકા, અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી તેમજ અમદાવાદ પોલીસ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 

    આ તિરંગા યાત્રા સંદર્ભે આજે અમદાવાદના રિવરફ્રન્ટ હાઉસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

    આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિવિધ વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે આ તિરંગા યાત્રાનું કેવી રીતે સુચારું આયોજન થઈ શકે તેની વિગતવાર ચર્ચા કરી હતી. 

    ગૃહ રાજ્યમંત્રીએ આ બેઠકમાં તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે કેટલાંક જરૂરી સૂચનો પણ વિવિધ વિભાગના અધિકારીને આપ્યાં હતાં.

    આ બેઠકમાં અમદાવાદ શહેર અને જિલ્લાના સર્વે ધારાસભ્યો, અમદાવાદના મેયર પ્રતિભા જૈન, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે તેમજ તમામ ઝોનના ડીસીપી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply