કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ ખાતે મેરેથોન અને તિરંગા યાત્રાનું આયોજન
Live TV
-
78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય પ્રશાસન દ્વારા 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન ચલાવવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનમાં સમગ્ર રાજ્ય ભીંજાઈ ગયું છે. વાસ્તવમાં, આ અભિયાનનો ઉદ્દેશ્ય નાગરિકોને તેમના ઘર પર ગર્વથી ભારતીય ધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ ખાતે મેરેથોન અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સર્વ સમાજના નાગરિકોએ તિરંગા યાત્રા અને મેરેથોન દોડમાં શામિલ થઈ ઉત્સવમાં ભાગીદાર બન્યા. મેરેથોનને નિવાસી કલેક્ટર અમિત કુમારે અને સેલવાસ નગર પાલિકા પ્રમુખ રજની શૅટીએ લીલીઝંડી બતાવી પ્રષ્ઠાન કરાવ્યું હતું. દેશભક્તિનો અદભૂત નજારો, તિરંગા યાત્રામાં ઉમટેલી ભીડ, તમામ ધર્મોની સમાનતાનું અનોખું ઉદાહરણ સિલ્વાસા ત્રિરંગામાં રંગાયેલા પરંપરાગત વાતાવરણમાં તરબોળ થયું હતું.
પ્રફુલ્લ પટેલની આગેવાની હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દાદરા અને નગર હવેલી દ્વારા 13 ઓગસ્ટના રોજ 'હર ઘર તિરંગા' ઉત્સવ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિરંગા યાત્રા યાત્રી નિવાસ ફ્લાયઓવર બ્રિજથી શરૂ થઈ શહીદ ચોક-જિલ્લા સચિવાલય ખાતે સમાપ્ત થઈ હતી. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં દાદરા અને નગર હવેલી જિલ્લા પંચાયત અને સિલ્વાસા મ્યુનિસિપલ કાઉન્સિલના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ સમાજના અગ્રણી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.તિરંગા યાત્રામાં રાજ્યના વિવિધ સમુદાયોએ ભાગ લીધો હતો, જેમાં ધોડિયા પટેલ સમાજ તેના પરંપરાગત ઢોલ-તુર સાથે, વારલી સમુદાય તારપા સાથે, ઉત્તરાખંડ સમુદાયનો સમાવેશ થાય છે.
