કોરોનાકાળનાં બે વર્ષ બાદ સોમનાથમાં મે મહિનામાં પાંચ લાખ શ્રધ્ધાળુઓ ઉમટ્યા
Live TV
-
કોરોનાકાળને કારણે યાત્રાધામોમાં આવતા પ્રવાસીઓની સંખ્યા ઓછી હતી. પરંતુ, હવે બધુ નોર્મલ થઇ જતા ગુજરાતનાં તમામ યાત્રાધામોમાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટી રહ્યા છે. સોમનાથની વાત કરીએ તો સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ રીતે મે મહિનાનાં વેકેશનમાં 5 લાખ લોકોએ દર્શન કર્યા તો સમગ્ર વેકેશન દરમિયાન 8 લાખ જેટલા ભાવિકોએ મહાદેવને શિષ નમાવ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટનાં અતિથિ ગૃહો અને ભોજનાલય પણ ભાવિકોથી છલકાયા હતા. ગુજરાત ટુરિઝમ વિભાગ પણ સોમનાથ મંદિર આસપાસ યાત્રીઓની સુવિધાઓને લઇને અનેક કામગીરી કરે છે. જેમાં પ્રભાસ ક્ષેત્રની કાયાપલટ પણ થઈ છે અને અનેક વિકાસ કાર્યો થયા છે. જેમાં પછી ભાવિકોને સોમનાથ મહાદેવનાં દર્શનની વ્યવસ્થા હોય કે પછી રહેવા જમવાની તમામ બાબતનો સમાવેશ થાય છે.
