ગુજરાતમાં જન્મ-મરણ નોંધણી ફીમાં સરકારે ફેરફારો કરી નવા દર જાહેર કર્યા
Live TV
-
રાજ્ય સરકારે જન્મ-મરણ નોંધણી ફીમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. 27મી ફેબ્રુઆરીથી નવા દર અમલી થયા છે. મૃત્યુના પ્રમાણપત્ર માટે ફી રૂ.5 થી વધારીને રૂ.20 કરવામાં આવી છે, જ્યારે જન્મના દાખલા માટે ફી રૂ.10 થી વધારીને રૂ.50 કરવામાં આવી છે.
નવા નિયમો અનુસાર, 30 દિવસથી મોડી નોંધણી માટે લેટ ફી રૂ.10 થી વધારીને રૂ.50 કરવામાં આવી છે. એક વર્ષથી મોડી નોંધણી માટે રૂ.100ની ફી લેવામાં આવશે અને આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે. હાલ, પ્રમાણપત્રો હવે ઇલેક્ટ્રોનિક અથવા અન્ય સ્વરૂપમાં આપવામાં આવશે, અને 'નકલ' શબ્દને બદલે 'પ્રમાણપત્ર' શબ્દનો ઉપયોગ થશે. ખોટી માહિતી આપનાર વ્યક્તિને રૂ.50 થી રૂ.1000 સુધીનો દંડ લાગશે. સરકારના સેક્રેટરીએ પરિપત્રમાં જણાવ્યું છે કે આ સુધારા દ્વારા નોંધણીની પ્રક્રિયા વધુ સ્વચ્છ અને વ્યવસ્થિત બનશે.