ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પોલીસના State Level Command & Control Center 'ત્રિનેત્ર'નું ઉદ્દઘાટન કર્યું
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પોલીસના State Level Command & Control Center "ત્રિનેત્રનું" ઉદ્દઘાટન કર્યું હતું તથા ગાંધીનગરમાં ગુજરાત પોલીસ દ્વારા નિર્મિત વાહન ચોરી અને મોબાઇલ ચોરીની E-FIR પ્રણાલીનું પણ ઉદ્દઘાટન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું. બપોરે માણસા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ "પ્રધાનમંત્રી પોષણ અભિયાન" અંતર્ગત અક્ષયપાત્રા ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત મધ્યાહન ભોજન રસોઈ ઘરનું ઉદ્દઘાટન કરશે.
માણસામાં અમિત શાહ માહાત્મા ગાંધી પુસ્તકાલયના નવનિર્મિત ભવનનું પણ ઉદઘાટન કરશે. તે બાદ માણસાના સિવિલ હોસ્પિટલની પણ તેઓ મુલાકાત લેશે. આ યાત્રા દરમિયાન ગૃહમંત્રી ચંદ્રાસન તળાવની પણ મુલાકાત લેશે
