ધ્રાંગધ્રામાં એક સાથે 7 લોકો કોરોના પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ
Live TV
-
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક સાથે 7 કોરોના પોઝીટીવ કેસો દાખલ થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. વરસાદી વાતાવરણ વચ્ચે કોરોના સંક્રમણે ફરી ઉછાળો માર્યો છે. ધ્રાંગધ્રામાં એક સાથે 7 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર અને લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
આ ઉપરાંત, વઢવાણમાં પણ 1 નવો કોરોનાનો પોઝીટીવ કેસ દાખલ થયો છે. જિલ્લામાં વાયુવેગે કોરોના સંક્રમણ પ્રસરતા એક સપ્તાહમાં એક્ટિવટ કેસોની સંખ્યા 24 પર પહોંચી ગઈ છે.
કોરોના પોઝીટીવ આવનાર દર્દીઓની ડૉક્ટરી ટીમે તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરી છે.
